આ લેખ માં આપણે જાણીશું કે પ્રધાનમંત્રી જન ધન યોજના એ શું છે .. તેમાં ક્યાં ક્યાં લાભો મળે છે..આ યોજના નો હેતુ શું છે..PMJDY માં ખાતું ખોલવા ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.. PMJDY એ એક અગત્ય ની સરકારી યોજના છે.જેનો મુખ્ય હેતુ તમામ નાગરિકો માટે બેંકીંગ સેવાઓ પહોંચાડવા નો છે .ખાસ કરી ને જે લોકો ગરીબ છે.. જેને બેન્ક માં ખાતું નથી..આવા લોકો ને સેવા આપે છે..
Table of Contents
પ્રધાનમંત્રી જન ધન યોજના( PMJDY ) યોજના હેઠળ ખાતું ખોલવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ
નોંધ : જો તમારી પાસે આધારકાર્ડ હોય તો બીજા કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર નથી.. માત્ર આધારકાર્ડ થી પણ ખાતું ખુલી જશે..જો ન હોય તો નીચે બીજા ડોક્યુમેન્ટ ના વિકલ્પો આપેલા છે .તેના થી પણ ખાતું ખુલી જશે.
અન્ય ડોક્યુમેન્ટ વિકલ્પો :
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રેશન કાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
ખાસ નોંધ
: જો કોઈ પાસે પુરાવા માટે ડોક્યુમેન્ટ ન હોય તો પણ તેઓ “Small Account”તરીકે ખાતું ખોલાવી શકે છે.પણ તેમાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. જેમાં ઓવરડ્રાફટ અને 50000ની જમા રકમ ની મર્યાદા હોય છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલવાની પાત્રતા
- ભારતીય નાગરિક હોવો જોઈએ
- ઉંમર 10 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ
- આધારકાર્ડ હોવું જોઇએ ન હોય તો અન્ય ઓળખ નો દાખલો જોઈએ
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ મળતા લાભો
- જીરો બેલેન્સથી ખાતું ખોલાવી આપે(મોટા ખાતા માટે મર્યાદા હોઈ શકે)
- રૂપિયા બે લાખ સુધી અકસ્માત વીમો(Rupay કાર્ડ દ્વારા)
- રૂપિયા 10000 સુધી ઓવરડ્રાફ્ટ સુવિધા(જો ખાતું 6 મહિના જૂનું હોય તો j)
- DBT(Direct Benefit Transfer) માટે તૈયાર
- મોબાઈલ બેકિંગ અને sms સુવિધા
ખાતું કઈ બેંકમાં ખોલાવી શકાય?
- તમામ રાષ્ટ્રીયકૃત બેંક(SBI,BOB,PNB, વગેરે)
- ખાતા કાર બેન્કિંગ કોર્પોરેશન
- પોસ્ટ ઓફિસ(એ પણ હવે ભાગીદાર છે)
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) માં ખાતું ખોલવાની પ્રક્રિયા
પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ખાતું 2 રીતે ખોલી શકાય છે.
1. ઓનલાઇન પ્રક્રિયા
2.ઓફલાઈન પ્રક્રિયા(બેંકમાં જઈને)
1. ઓનલાઇન
પ્રધાનમંત્રી જન ધન યોજના માં ઓનલાઇન સીધું ખુલતું નથી પરંતુ કેટલીક બેંકો પોતાની વેબસાઈટ પર pre -fill કરવા જેવી સેવાઓ આપે છે. છતાં પણ તમારે ચકાસણી માટે બેંકે તો જવું જ પડે છે.
2. ઓફલાઈન પ્રક્રિયા
- તમારા નજીકની બેંકે જાવ
- “PMJDY Account Opening From”માંગો
- આ ફોર્મ ભરો
- ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- ખાતુ ચાલુ કરવામાં આવશે અને ક્યારેક તમારું Rupay ATM કાર્ડ અને ચેક બુક પણ આપવામાં આવે છે.
- તમારું ખાતું ચાલુ થાય એટલે તમારા ફોનમાં SMS પડી જશે
PMJDY નો ઉપયોગ
- શિષ્યવૃત્તિ મેળવવા માટે
- LPG સબસીડી મેળવવા
- અનાજ/રેશન DBT માટે
- કોઈપણ સરકારી સહાય યોજનામાં
ખાસ નોંધનીય બાબતો:
- ખાતુ ચાલુ રહે તે માટે Rupay કાર્ડ નો ઉપયોગ કરતા રહો તે વીમા માટે પણ જરૂરી છે.
- ખાતુ ખોલાવ્યા પછી બેંકે થી પાસબુક અને કાર્ડ મેળવવું જરૂરી છે
- ખાતું ખોલ્યા પછી તમારા મોબાઇલમાં sms આવવો જરૂરી છે
- તમારો મોબાઈલ નંબર ખાતા સાથે જોડાયેલો હોવો જરૂરી છે
તો આવી રીતે તમે જનધન ખાતું ખોલાવી શકો છો.